Monday, August 30, 2010

આ શબ્દો છાનામાના કહું...

આ શબ્દો છાનામાના કહું,
તુ રાધા મુજને કાના કહું.
 
છાપ તારા પગરવની જોઈ,
આ રસ્તા બધા સુહાના કહું.
 
જો મંડળાવું રુપાળા તેજે,
સ્વયમને હું પરવાના કહું.
 
મિત્રો પજવે નામ તારુ લઈ,
મલકીને એ અફસાના કહું.
 
લજ્જાથી છણકો તુ આપે તો,
ઇશ્ક તણા એ બહાના કહું.
 
યોગેન્દુ જોષી : ૩૦/૦૮/૨૦૧૦

No comments:

Post a Comment