Monday, May 10, 2010

માં...

નાભી થી તન સીંચે એ માં,
દૂધ તણુ અમ્રુત દે એ માં,
વહાલ નો પાલવ દે એ માં,
ઘડતર દે એ માં.
 
રૂણ ભુલી સંવાળે એ માં,
સંસ્કારો ને સીંચે એ માં,
પ્રુ-ઇશ્વર નુ સ્વરૂપ એ માં,
જગદાત્રી એ માં.
 
નિજ આનંદ ને ત્યાગે માં,
ભુખી રહી ને જમાડે માં,
દુખ વેઠી ને હસાવે માં,
સત્યાકાર એ માં.
 
પહેલી વાર મે બે નવા શબ્દ ના પ્રયોગ કર્યો છે.
આશા છે, આપ સર્વે ને સ્વીકાર્ય હશે.
 
(પ્રુ-ઇશ્વર = પ્રુથ્વી પર ના ઇશ્વર)
(સત્યાકાર = સત્ય નો આકાર)
 
યોગેન્દુ જોષી : ૧૦/૦૫/૨૦૧૦
 

No comments:

Post a Comment