જેવુ વિચારુ છુ તે પીરસુ છુ... ક્યારેક મારી, ક્યારેક તમારી, વાતો નુ સંભારણુ બનાવી અરજુ છુ.
લખ કિસ્મતના લેખા-જોખા,
સાચા-ખોટા, મેલા-ચોખ્ખા.
સારા કર્મો કરતો રહેજે,
છોને માણસ આપે ધોખા.
મનની વાતો મનમાં રાખી,
ભરશો નૈ ત્યાં ભારે ખોખા.
પોંખી લે પ્યારી યાદોને,
ઓછા પડશે નૈ ચોખા.
ઇશ્વરના દરબારે જોજે,
સાચા-જુઠ્ઠા થાશે નોખા.
યોગેન્દુ જોષી : ૦૬/૦૯/૨૦૧૧
No comments:
Post a Comment